નવી દિલ્હી: મુંબઈમાં કોરોના વાયરસથી થયેલા મોતનો પહેલો કેસ સામે આવ્યો છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ 64 વર્ષના COVID-19થી પીડાતા દર્દીનું મોત થયું છે. દેશભરમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી 3 લોકોના મોત થયા છે. કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે. આ બાજુ નોઈડામાં કોરોના વાયરસના બે નવા કેસ સામે આવ્યાં છે. મળતી માહિતી મુજબ આ બંને દર્દીઓ નોઈડાના સેક્ટર 100માં રહે છે. તેમાંથી એક મહિલા હાલમાં જ ફ્રાન્સની મુસાફરી કરીને ભારત પહોંચી છે. બંને દર્દીઓને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યાં છે. સ્વાસ્થ્ય અધિકારી બંને દર્દીઓની સઘન તપાસ કરી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૌતમબુદ્ધ નગરના મુખ્ય ચિકિત્સા અધિકારીના જણાવ્યાં મુજબ બે લોકોમાં કોરોના વાયરસનો ચેપ જોવા મળ્યો છે. સ્વાસ્થ્ય વિભાગે હવે સર્વિલાન્સની કાર્યવાહી શરૂ કરી દીધી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...